વાવ મામલદાર દ્વારા ભારે વરસાદ ની આગાહી ને લઈને લોકો ને ચેતવણી અપાઈ ,જો કોઈ ધટના બને તે મદત માટે નંબર જાહેર કરાયો

સરહદી બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં મેધરાજા મન મૂકી ને વર્ષી રહ્યા છે જેને લઈને ગુજરાત સહીત બનાસકાંઠા જીલ્લા માં વધુ ૨ દિવસ ની વરસાદ આગાહી કરવામાં આવી છે ત્યારે વાવ ના મામલદાર કે એચ વાઘેલા દ્વારા લોકો ને પાણી ભરાયા હોય ત્યાંથી પસાર ન થવા તેમ જ બિન જરૂરી પ્રવાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.તેમજ નીચાણ વાળા વિસ્તારો માં રહેતા લોકો ને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.વધુમાં કહેતા જણાવ્યું હતું કે જો કોઈ આપતી જનક પરિસ્થિતિ ઉભી થાય તો વાવ મામલદાર કચેરી ખાતે ચાલુ કરવામાં આવેલ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નો  સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જેનો ટેલીફોનીક નંબર ૦૨૭૪૦ -૨૨૭૦૨૨ તેમ જણાવ્યું હતું  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *