કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા છોડી રહ્યા છે ત્યારે આવતી કાલે ફરી બે દિગ્ગજ નેતાઓ કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો કરશે. ગુજરાત કોંગ્રેસમાંથી તાજેતરમાં જ રાજીનામું આપી ચૂકેલા પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીએ અગાઉ પીએમ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આવતી કાલે તેઓ કમલમ ખાતે ભાજપમાં વિધીવત રીતે જોડાશે. ગુજરાતમાં પૂર્વ મંત્રી તરીકેનો હોદ્દા પર રહી ચૂકેલા નરેશ રાવલ અને રાજુ પરમાર કેન્દ્રના કેબિનેટ કક્ષાના હોદ્દા પર રહી ચૂકેલા આ દિગ્ગજો ભાજપમાં જોડાશે
નરેશ રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં ક્યારેય કોઈ સુધારો નહીં આવે કેન્દ્રીય નેતૃત્વ સાથે કડવા અનુભવો મને સતત થતા રહ્યા છે જેથી સમય આવે ત્યારે કોંગ્રેસના અનેક પર્દાફાશ કરીશ તેમ તેમણે રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાઈશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છેઅન કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે. તેમ પણ તેમણે અગાઉ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યા બાદ પીએમ સાથેની મુલાકાતની તસવીરો અગાઉ સામે આવી હતી. ત્યારથી જ એ વાતે જોર પકડ્યું છે કે, વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજેપી આ નેતાઓને મોટી જવાબદારી પણ સોંપી શકે છે.