ગુજરાત મિશન ૨૦૨૨ લઈને કેજરીવાલનો ફરી પ્રવાસ ગોઠવાયો, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

ગુજરાત મિશન 2022 માં આગામી વિધાનસભા ને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. આગામી 16મી ઓગષ્ટે કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. મળતી માહિતી પ્રમાણે કેજરીવાલ અમરેલી અથવા વાકાનેર વિસ્તારનો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ દરમિયાન કેજરીવાલ જનસભાને સંબોધન કરી વધુ એક ગેરેંટી ગુજરાતની પ્રજાને આપી શકે છે. કેજરીવાલ 16 અને 17 એમ બે દિવસ ગુજરાતમાં રોકાઈ તેવી શક્યતા છે.રાજકારણી ની જાણકારો એવું મને છે કે ધારી, લાઠી, ઉના, કોડીનાર, તલાલા, સોમનાથ, ધાનેરા, માંગરોલ, રાજુલા અને તળાજા સહિતની બેઠકો પર બાજ નજર હોઈ આ પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા તેમણે અમદાવાદમાં બહેનો સાથે સંવાદ કર્યો હતો અને મહિલાઓને ગેરેન્ટી આપી હતી. ગુજરાતમાં 18 વર્ષથી મોટી યુવતીઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની ગેરેન્ટી કેજરીવાલે આપી હતી

ઉલ્લેખનીય છે અગાઉ અરવિંદ કેજરી વાલે ગુજરાત ના લોકો ને ૫ ગેરેંટી આપી છે ત્યારે વધુ એક વખત કાઠીયાવાડ નો પ્રવાસ ગોઠવાતા રાજનીતિ માં હલચલ જોવા મળી રહી છે જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી તેમજ ૧૮ વર્ષ થી ઉપર ની મહિલાઓ ને ૧૦૦૦ રૂપિયા આપવા સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે ત્યારે આ પ્રવ્સ થકી ભારતીય જનતા પાર્ટી સહીત કોંગ્રેસ ઉંધ ઉડાડતા ચિંતા માં વધારો કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *