બનાસકાંઠા સહિત ગુજરાત ભર માં તલાટી કમ મંત્રી ઓ ના યુનિયન ના આદેશ થી તલાટી ઓ આજ રોજ 02-08-2022 ના મંગળવાર થી અચોક્કસ મુદ્દત ની હડતાળ ઉપર ઉતરવાની આ જાહેરાત કરી છે.જેને લઈને વાવ તાલુકા ગ્રામપંચાયત ના તલાટી ઓ વિવિધ માગણી સંદર્ભે તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે.ત્યારે હડતાળ થી બનાસકાંઠા જિલ્લામાં લોકો માટે ભારે અગવડતા ઉભી થવાની શક્યતા ઓ છે. હડતાળ ને કારણે પંચાયતો માં નિયમીત કામગીરી જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિ ના દાખલા, જન્મ – મરણ ના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિત ની જરૂરિયાતો વિના મૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જશે.જેથી લોકોને હાલાકી નો સામનો કરવો પડશેપોતાના પાંચ પડતર પ્રશ્નોને કારણે તલાટીઓ હડતાળ ઉપર ઉતર્યા છે અને ધ્વજ વંદન સિવાયની તમામ કામગીરીનો વિરોધ કરાયો છે. તલાટી ઓ દ્વારા સોમવારના રોજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ઓ ને આવેદનપત્રો પણ અગાઉ અપાયા હતા તલાટીઓ ની હડતાળ ને કારણે વિદ્યાર્થી ઓ ને શિષ્યવૃતિ અને ખેડુતોને યોજના માટે દાખલા માં માટે ખાસ કરીને હાલકી નો સામનો કરવો પડશે તેમ જણાવ્યું હતું