ગુજરાતમાં ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે મૂલ્યવર્ધી શિક્ષણ મા સૌથી શ્રેષ્ઠ શાળા બને એના માટે છેલ્લા ઘણા સમયથી સણીયાલીપુરા પ્રા. શાળાના શિક્ષક મિત્રો અને એસ એમ સી પરિવાર પ્રયત્નો કરી રહ્યા છે… એમની મહેનથી શાળામાં ચાર રૂમ અને ડાઇનિંગ હોલ મંજુર થતા આજે શાળામાં ચાર રૂમનું ખાદ્દ મુહર્ત રાખવામાં આવ્યો હતો…શાળામાં ચાર રૂમ મંજુર થતા શાળાના મદદનિશ શિક્ષક અણદાભાઈ જાટે પ્રતિક્રિયા આપતાં કયું કે હવે અમારી શાળાના બાળકોને જાડ નીચે ખુલ્લામાં નહી બેશવું પડે અને સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો… ચાર રૂમનું ખાદ્દ મુહર્ત ભાવેશભાઈ ચૌધરીના હાથે કરાવવામાં આવ્યો હતો…આજના પ્રસંગને વધુ સુંદર બનાવવા માટે ધુણસોલ ના જાણીતા પશુ ડોકટર ભાવેશભાઈ ચૌધરી તરફથી શાળાના બાળકો અને ગ્રામજનો માટે ભાવ ભોજન રાખવામાં આવ્યો હતો… આજના પ્રસંગે શાળાના બાળકોને શિરો, પુરી શાક, દાળભાત અને છાસ નું ભાવ ભોજન આપવામાં આવ્યું હતું…આજના પ્રસંગે smc પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા….