વાવ ના જાનાવાડા માં લંપી વાયરસ ના લીધે ત્રણ ગાયો ના મોત

બનાસકાંઠા જીલ્લા માં લંપી વાયરસે જીલ્લામાં હાહાકાર મચાવ્યો છે જેને લઈને વાવ ના જાનાવાડા ગામ રહેતા જગદીશભાઈ કરશનભાઈ હડીયલ તેમજ દશરથભાઈ હડીયલ ની ત્રણ ગાયો ના મોત થયા છે વાયરલ વિડીયોમાં જણાવ્યા અનુસાર આ ગાયો ના મોત લંપી નામ ના રોગ થઇ થયા છે તેમ જણાવી રહ્યા છે વધુ માં કહે છે કે સરકાર દ્વારા ચાલતી પશુ વાહન ૧૯૬૨ નંબર પર કોલ કરતા પણ કોઈ પશુ ડોકટર કે કોઈ ને ના મુકવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે આ તો માલિકી ના પશુ ધન છે બાકી રખડતા ઢોરો નું શું જેવા અનેક સવાલો સરકાર સામે રાખ્યા હતા.અને પશુઓ ને ઝડપી માં ઝડપી રસીકરણ કરાવે તેમજ આ ખેડૂતો ને વળતર આપે તેવી માંગ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *