વીજકરંટ થી મોત થતાં મૃતકનાં પરિવારને રૂ.54.38 લાખ ચૂકવવા કોર્ટનો હુકમ

ધાનેરા તાલુકાના ધાખાં ગામનો યુવાન ખેતરમાં કામ કરતો હતો ત્યારે જીવંત વીજવાયર તૂટી પડતાં યુવાન ને કરંટ લાગતા મોત નિપજ્યું હતું અને તે બાબતે તેના પરિવારે વીજકંપની ઉપર 60 લાખ નો દાવો કરતા ડીસા કોર્ટે 54.38.320 રૂપિયા 6 ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ ઉતર ગુજરાત વીજકંપની ને કરવામાં આવ્યો .

ધાંખા ગામના પ્રકાશ ભાઈ પ્રેમજીભાઈ ચોધરી દાતિવાડા પોલીસ માં ફરજ બજાવતા હતા 14 જાન્યુઆરી 2016 રોજ ઉતરાયણ હોવાથી રજા લઇ ઘરે આવ્યા હતા અને તેઓ પોતાના ખેતરમાં વાવેલા રાયડા નાં પાકમાં પિયત કરી રયા હતા ત્યારે અચાનક પોતાના ખેતર માંથી પસાર થતી વીજ લાઈન નો જીવંત વાયર તૂટી પડતાં પ્રકાશ ભાઈ ને કરન્ટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું અને તે બનાવ અંગે ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરાય હતી જેના તપાસ દરમિયાન ડીસા કોર્ટે મૃતકના પરીવારને વળતર ચુકવા વીજ કંપનીને હુકમ કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *