વાવ માં વીજ પુરવઠો ખોરવાયો

વાવ માં કલાકો સુધી વીજપુરવઠો બંધ કરાયો હતો.આ વીજ પુરવઠો બંધ કરવા પાછળ જવાબદાર વાવા ઝોડું કે વરસાદ નથી.પરંતુ 400થી વધુ ટાયરો ધરાવતા વાહન હતું.આજે તા.21/07/2022 ના વહેલી સવારે ભારે ખમ વાહન માં ભરેલ હોઈ પસાર થવાનું હોઇ કોઈ મોટી દુર્ઘટના ના બને તે હેતુ થી વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો .આ ટ્રક વાવ થી રાજેસ્થાન જતું હોવાના લીધે વીજપુરવઠો કલાકો સુધી બંધ કરાયો હતો .અને ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે 1મહિના માં વારંવાર આવા મોટા હેવી વાહનો પસાર થતા કલાકો સુધી વીજ પૂરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા હતા અને ધંધાર્થી ઓ ને ભારે મુશ્કેલી વેઠવા પામી હતી જેથી વારંવાર વીજપુરવઠો બંધ કરવામાં આવતા કેટલાય લોકો દિવસ દરમિયાન મચ્છર મારતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *