ધાનેરા જયા પાર્વતી વ્રત ની ઉજવણી

હિન્દૂ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે.ખાસ કરીને દર વર્ષે હિન્દૂ ધર્મમાં અનેક વ્રતોની ઉજવણી કરવામાં આવતી હોય છે. હિન્દુ ધર્મમાં વ્રતોની ઉજવણી પાછળ અનેક દંત કથાઓ રહેલી છે જેમાંજયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે.જે અંતર્ગત આજે ધાનેરા ના ખાતે  બાલિકાઓ અને કુમારી કન્યાઓ દ્વારા જયા પાર્વતીના વ્રતની ભગવાન શિવજીના મંદિરે પૂજા અર્ચના કરે ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ઉજવાતા આ વ્રતને લઈ આ વર્ષે પણ ધાનેરા ખાતે આવેલ  મામા બાપજીના મંદિરે મોટી સંખ્યામાં બાલિકાઓ પૂજા અર્ચના કરવા માટે પહોંચતા મંદિર ભક્તિમય બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *