રાજસ્થાનથી નીકળેલી ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરાયું

  • ગૌધામ પથમેડા ના શ્રી દત્તશરણાનંદજી મહારાજ ચાતુર્માસ અમદાવાદમાં ગાળશે
  • ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ ટેટોડા ગૌશાળા ને પાંચ લાખનો ચેક આપ્યો
  • ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરાયું
           રાજસ્થાનથી નીકળેલી ગૌ મંગલ યાત્રા શનિવારે સવારે ડીસા આવી પહોંચતા ડીસા શહેરમાં ઠેર ઠેર સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા અને બાદમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે શ્રી દત્તશરણાનંદજી મહારાજે ગૌ ભકતો ને આશીવેચન પાઠવ્યા હતા. રાજસ્થાન સ્થિત શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડા ના સ્થાપક પરમ ભાગવત ગૌ ઋષિ શ્રી દત્તશરણાનંદજી મહારાજ ચાતુર્માસ પ્રસંગે ગૌ મંગલ યાત્રા સાથે અમદાવાદ જઈ રહ્યાં છે ત્યારે ગૌ મંગલ યાત્રા શનિવારે સવારે ડીસા આવી પહોંચતા વિશાળ ગૌભકતો એ બાઈક રેલી દ્વારા ગૌ યાત્રા નું સ્વાગત કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરતા ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા અને ગૌમાતા ના જય જયકાર થી ડીસા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. યાત્રા ડીસા માર્કેટયાર્ડમાં પ્રવેશ કરતા જ ચેરમેન માવજીભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન કરશનભાઈ પટેલ, સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ વેપારી એસોસિએશન ના પ્રમુખ અરજણભાઈ પટેલ સહિત વેપારીઓ, ગુમાસ્તા અને હમાલ-તોલાટ ભાઈઓ દ્વારા યાત્રા નું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ના રામરતનજી મહારાજ ને ચેરમેન માવજીભાઈ દેસાઈ, કરશનભાઈ પટેલ અને અમૃતભાઈ જોષી ના હસ્તે રૂપિયા પાંચ લાખના અનુદાન નો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરમ શ્રધ્ધેય શ્રી દત્તશરણાનંદજી મહારાજ એ એપીએમસી માં ઉપસ્થિત ગૌભકતો ને આશીર્વાદ પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *