ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અનેક વિસ્તારોમાં અસ્થિર મગજની યુવક યુવતીઓ જોવા મળી રહી છે જેવોને સરકાર દ્વારા કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકોને સ્વચ્છ રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ અનેકવાર અજાણી વ્યક્તિઓ બિમારીમાં સપડાતાં સારવાર ન મલતા મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે આજે ડીસા રીસાલા બજાર વિસ્તારમાં સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરને જાણકારી મળી હતી કે રીસાલા બજાર વિસ્તારમાં એક બિમાર વ્યક્તિ પડ્યાં છે જેની જાણકારી મલતા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર સહિત સેવાભાવી મનુભાઈ આસનાની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બિમાર વ્યક્તિને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મુત્યુ જાહેર કરાતાં સેવાભાવી લોકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન મરણજનાર કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના હોવાનું જાણવા મળ્યું હતું અને તેનું નામ ધનાભાઈ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે સેવાભાવી સંસ્થા હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર અને મનુભાઈ આસનાની દ્વારા મુત્યુ પામેલા લાશને હિન્દુ શાસ્ત્રો મુજબ ડીસા ધુળિયાકોટ વિસ્તારમાં આવેલ શાંતિધામ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી