સરહદી વાવ તાલુકાની વાવ-ભાખરી રોડ પર આવેલ ખોડાઢોર પાંજરાપોળમાં 30 જેટલાં પશુઓનાં ખોરાકી ઝેરની અસરથી ટપોટપ પશુઓનાં મોત થયા હતાં. જોકે તાત્કાલિક ધોરણે પશુઓના મોત બાદ પશુપાલન વીભાગ ઘટનાં સ્થળે પોહચ્યું હતું. જો કે આ પશુઓ ઘાસચારો આરોગ્યા બાદ પશુઓના મોત થયાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.મૃત પશુઓના સેમ્પલ લઈ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી લેબોરેટરીમાં મોકલાયા હતા જોકે પશુઓના મોતનું કારણ જાણવા પાણી તેમજ ધાસ નમૂનાઓ સહીત અવશેષો એકઠા કરી લેબોરેટરી માં મુકાયા છે
સમગ્ર મામલે રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ પ્રકારનું કારણ જાણી શકાશે.મોતને કારણે આજુબાજુમાં ભયંકર દુર્ગધ મારતા મૃત પશુઓનાં અંતિમક્રિયા ની કામગીરીઓ ખોડા ઢોર પાંજરાપોળનાં સંચાલકોએ હાથ ધરી હતી