શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિમતનગર ખાતે વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો હતો જેમાં મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર ચડાવ્યો હતો અને મંદિર ખાતે 1કરોડ 11લાખ નો ચેક મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે આજ દિન સુધી નું સૌથી મોટું દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું

જેમાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોઇ ૧૯૯૫થી પોતાના પરિવાર સાથે દર વર્ષે મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ ખાતે પધારે છે જેમાં તેઓએ દેવ દિવાળીના પાવન પર્વે પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીને સવા કિલો સોનાનો છત્ર ચડાવી તેમજ મંદિર ખાતે 1 કરોડ 11લાખનું સૌથી મોટું દાન કરી માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.