ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1221 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3560 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,958 એક્ટિવ કેસ છે, જ્યારે 1,30,897 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,877 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,50,415 પર પહોંચી છે.
કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, ગાંધીનગરમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, સુરતમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 163, સુરતમાં 81, રાજકોટ કોર્પોરેશનમાં 82, વડોદરા કોર્પોરેશનમાં 78, જામનગર કોર્પોરેશનમાં 69, વડોદરામાં 41, મહેસાણા 35, બનાસકાંઠામાં 34, ભરૂચમાં 34, રાજકોટમાં 32, પાટણમાં 31, જામનગરમાં 27, કચ્છમાં 25, સાબરકાંઠામાં 24, અમરેલીમાં 22, મોરબીમાં 22, સુરેન્દ્રનગરમાં 21 કેસ નોંધાયા હતા.
આજે એટલે કે તા ૧૦-૧૦-૨૦કેટલા દર્દી થયા સાજ
રાજ્યમાં આજે કુલ 1456 દર્દી સાજા થયા હતા અને 51,228 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 49,61,455 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.02 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,94,031 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,93,613 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 418 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.