ઢીમા સપ્રેડા ડિસ્ટ્રી.કેનાલ પર 10 વર્ષથી પુલનું અને કેનાલનું કામ અધૂરું હોવાથી ખેડૂતોમાં રોષ

  • પાણીનો પ્રવાહ વધારે થાય તો પાણી ખેતરોમાં જાય છે.અને પાકને નુકશાન થાય છે.

સરહદી વાવ તાલુકામાં છાસવારે કેનાલો તૂટી જાય છે અને ખેડુતોનાં ઉભા પાકમાં પાણી ફરી વળે છે.જેથી લાખ્ખો રૂપિયાનું નુકશાન થાય છે ત્યારે હલકી કક્ષાની એકદમ નબળી કામગીરી હોવાથી કેનાલો વારંવાર તૂટતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ વચ્ચે પુલનું કામ વર્ષોથી અધૂરું હોવાથી તખતપુરા પ્રતાપપુરા રોડથી ૧.કિમીનાં અંતરે આવેલી કેનાલ પર રસ્તો આવતો હોવાથી વર્ષોથી અહીંયા કેનાલ પર પુલ બનાવવાની માંગ કરી હતી.ત્યારે અધૂરું કેનાલનું કામ હોવાથી કેનાલમાં પાણીનો પ્રવાહ હોવાથી ખેતરોમાં પણ પાણી જાય છે.તેથી ખેડૂતોનાં પાકને નુકશાન થાય છે.આજે 10 વર્ષ પછી પણ પુલનું કામ કરવામાં નહિ આવતાં ખેડૂતો ભારે મુશ્કેલીઓવેઠી રહ્યાં છે ત્યારે કેનાલમાં વધારે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદાનાં અધિકારીઓને આ અંગે અનેક વખત લેખિત ફરિયાદ કરવામાંઆવી છે છતાં પણ આજદિન સુધી અધૂરી કેનાલનું પૂરું કામ નથી કરતાં કે પુલનું કામ જ્યારે અમારે અમારાં ખેતરોમાં જવું હોય તો એક કિમિ સુધી ચાલીને અથવા ટ્રેક્ટર લઈને જવું હોય તો પણ કેનાલનું તખતપુરા પ્રતાપપુરા રોડ નજીકનો પુલ હોઈ ત્યાંથી જવું પડે છે.ત્યારે અમારી એક જ માંગ છે ,કે સત્વરે આ અધૂરી કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવે અને સત્વરે પુલની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે અને પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

  • અધૂરી કેનાલનું કામ સત્વરે કરવાની ખેડૂતોની માંગણી

આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પુલનું અને અધૂરી કેનાલનું કામ પૂરું કરવામાં આવે તો ખેડૂતોને ટ્રેકટર સહિતનાં વાહન 2 કિમિ ફરીને ખેતરોમાં ન લાવવા પડે અને કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવે તો ખેતરોમાં પાણી ન ઘુસી જાય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *