પાલનપુર ના માનસરોવર તળામાં અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરતાં ચકચાર

મ્રુતક યુવક ના મોત ના સમાચાર મળતાં પરિવાર માં માતમ છવાયો.

બનાસકાંઠા જીલ્લા માં આત્મહત્યા ના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર ના માનસરોવર તળામાં વધુ એક મુસ્લિમ સમાજ ના યુવકે મોત ને વ્હાલુ કરતાં સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહીતી અનુસાર પાલનપુર ના નાની બજાર (ડાયરા) માં રહેતા અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા આરીફખાન રજબખાન સિંધી ઉ.વ. ૨૮ એ છેલ્લા ત્રણ દીવસ થી ઘરે થી કહ્યા વગર ચાલ્યા ગયા હતા. જેને લઇ પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે ગઇ કાલ મોડી સાંજે અગમ્ય કરણોસર પાલનપુર માનસરોવર માં ઝંપલાવી મોત ને વ્હાલુ કરી લેતા સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના ના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ યુવકે તળાવમાં પડી આત્મહત્યા કરી લેતાં તેના બાર વર્ષ ના પુત્રને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ પાલનપુર પોલીસ ને કરાતા પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી્ મ્રુતક ની લાસ ને પાલનપુર સિવિલ માં પી.એમ. અર્થે ખસેડી બધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *