શું આગામી વિધાનસભા માં રાષ્ટ્રીય કરણી સેના ચૂંટણી લડશે ,વધુ વિગત વાંચો

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા હાલમાં ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિનું ગઠન કરી કરણી સેના દ્વારા સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે આજે શક્તિ કલયુગે આ લોકશાહીમાં સમાજ રાજકીય વ્યવસાયિક શૈક્ષણિક રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે ખાસ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મોટાભાગે સમાજમાં લોકો અલગ-અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે ત્યારે સમાજના લોકો એકઠા થાય અને રાજપૂત કરણી સેના અન્ય સમાજની જેમ આગળ વધે તે માટે ખાસ રાજ શેખાવત દ્વારા આ યાત્રા હાલમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં ફરી અને લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે આજે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાની યાત્રા લઈ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. જ્યાં ડીસા કરણી સેના ના કાર્યકર્તાઓ દ્વારા મોટી રેલી કાઢવામાં આવી હતી જે બાદ રામેશ્વર મંદિર ખાતે યોજાયેલી સભામાં રાષ્ટ્રીય કરણીસેના ના અધ્યક્ષ રાજ શેખાવત એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજ પોતાના હકની લડાઈ માટે રાજકીય ક્ષેત્રે આગળ વધી રહી છે.ત્યારે આવનારી વિધાનસભામાં પણ રાજપૂત કરણી સેના ના જે પણ વિસ્તારોમાં નામના મેળવતા કાર્યકર્તાઓ હશે તે તમામ કાર્યકર્તાઓ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે અને કરણી સેના તેને તમામ પ્રકારની મદદ માટે ઉતરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *