વાવ દરબાર ગઢ ખાતે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો ….
બનાસકાંઠા વાવ ખાતે દશેરા ના પાવન પ્રસંગે દરબાર ગઢ ખાતે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે વાવ રાણા ગજેન્દ્ર સિંહ અને તેમના કુંવર શિવરાજસિંહ ચૌહાણ તેમજ સમસ્ત નાડોલા ચૌહાણ પરિવાર ના બંધુઓ હાજર રહી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું .જે પ્રસંગે વાવ રાણા ગજેન્દ્રસિંહ એ મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનકરવામાં આવ્યું .અને વિશેષ માં જણાવ્યું હતું કે અમારા દાદા પરદાદા ને સ્વયંમ માતાજી એક તલવાર આપી હતી .તે તલવાર હાલ પણ હયાત છે .તે તલવાર નું પણ આજ રોજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું …