થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળનો ત્રિશૂળ દીક્ષા મહોત્સવ ઉજવાયો

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બનાસકાંઠા ના જીલ્લા ના થરાદ ના ફ્રુટ માર્કેટ ધાનેરા રોડ ની બાજુ માં આ ત્રિશૂળ દીક્ષા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાવ થરાદ સુઈગામ ભાભર રાહ લાખણી ,દિયોદર સહીત લોકો જોડાયા હતા.હિંદુ જીવન પદ્ધતિ તેમના કેન્દ્રમાં રહે અને તેઓ હંમેશા લવજેહાદ, લેન્ડ જેહાદ, ગૌહત્યા, ધર્માંતરણ અને લઘુમતી તુષ્ટિકરણ જેવી દેશવિરોધી પ્રવૃત્તિઓનો પ્રતિકાર કરવા તત્પર રહે તેવા પવિત્ર ઉદ્દેશ્યથી સભા યોજાઈ હતી.જે બાદ ૧૮૦૦ થી વધુ યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. દિક્ષાર્થી યુવાનોને સમાજ ઉપયોગી કાર્યોને લઇને સાધુ-સંતોએ મહત્વના માર્ગદર્શન આપ્યા હતા. પરિષદ અને બજરંગ દળ દ્વારા આફત અને કોરોના કાળ દરમિયાન કરેલ સેવાને પણ યાદ કરવામાં આવી હતી. વખતો વખત ત્રિશૂલ દિક્ષા આપવામાં આવતી હોય છે. જેના થકી સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાવવાનો જુસ્સો અને માર્ગદર્શન ઉપરાંત સમાજની રક્ષા કરવા માટે આહવાન કરવામાં આવતુ હોય છે. સમાજના યુવાનોને શિક્ષિત, સમરસ અને સંગઠિત કરવાનો પણ આ પ્રયાસ ગણાવ્યો હતો. આ સાથે જ યુવાનોને ગૌ રક્ષા, સંતો, સાધુઓ અને વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સુરક્ષા અને સલામતિ કરવા માટે યુવાનોને પ્રેરણા આપવામાં આવી હતી.ત્યારબાદ ધાનેરા રોડ ફ્રુટ મારકેટબજાર થી સમગ્ર થરાદ શહેર માં રેલી કાઢવામાં આવી હતી આ રેલી દરમિયાન વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત રાખવા માં આવેલ કરણી સેના, ભારત વિકાસ પરિષદ, બ્રહ્મ સમાજ,abvp, ભારતીય જનતા પાર્ટી, હિંદુ  સમાજ ના સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યક્રમ ને સફળ બનાવનાર દરેક કાર્યકર્તાનો ખુબ ખુબ આભાર વય્ક્ત કરવામાં આવ્યો  હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *