સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર દ્વારા “વરર્ચુઅલ નંદ મહોત્સવ” ની ઉજવણી કરાઇ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : પાલનપુર

બનાસકાંઠા ના પાલનપુર ખાતે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર સંલગ્ન શ્રી સ્વસ્તિક બાલમંદિર અને સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ વિભાગમાં આજ રોજ વર્ચયુઅલ નંદ મહોત્સવ ની ઉજવણી કરી. જેમાં મુખ્ય મહેમાન જીલ્લા જેલ સુપ્રિટેન્ડેન્ટ વિરભદ્રસિંગ પ્રભાતસિંગ ગોહિલ, મંડળના હોદ્દેદાર અમરતભાઈ કાંધોલ, રોહિતભાઈ ભૂટકા, રાજેશભાઈ જગાણીયા, પ્રકાશભાઈ ગામી તેમજ કે. કે. ગોઠી હાઇસ્કુલ વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર, પ્રાથમિક વિભાગના આચાર્ય મહેશભાઈ પટેલ, શિક્ષક મિત્રો અને ધોરણ 9, 10 ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉપરાંત સંસ્થાના 4000 વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઑનલાઇન કાર્યક્રમ નિહાળ્યો હતો. સંસ્થાના આદરણીય પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વરર્ચુઅલ નંદ મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. જેમાં નાના ભૂલકાઓએ અભિનયથી લોકોને આનંદિત કરી દીધા હતા તેમજ મટકી ફોડી વાતાવરણને કૃષ્ણમય બનાવી દીધેલ હતું. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીની ધૂન નાદ, જય ઘોષ બોલાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *