ગુજરાત માં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ યથાવત જોવા મળ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે લોકો સહીત પશુ પક્ષી ઓ વલખા મારતા નજરે પડ્યા હતા. વાવના રાછેણા, ચોથાનેસડા, લોદ્રાણી સહિત ગામોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી હતી. સરહદી વિસ્તારના કેટલાય ગામોમાં પીવાના પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં આઝાદીના 70 વર્ષ બાદ પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે. લોકોને ટેન્કરની રાહ જોઈને બેસી રહેવું પડે છે. વધુમાં રાછેણા સરપંચની પીવાના પાણી મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવતો જણાતો નથી.ત્યારે સરહદી વિસ્તારોના ગામોમાં પીવાના પાણીના પ્રશ્નનો નિવેડો ક્યારે આવશે તે બાબત ચર્ચાનો વિષય બની છે. પાણી માટે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ સરહદી વિસ્તાર પીવાના પાણી માટે વલખા મારી રહ્યો છે.વધુ માં હજુ કેટલાય વિસ્તાર માં પાણી ની પીવાની પાઈપ લાઈન માં બિનકાયદેશર કનેકશન ના કપાયા હોવાની છડે ચોક લોક ચર્ચાઓ થઇ રહી છે ત્યારે પાણી પુરવઠા વિભાગ સક્રિય બની ક્યાં પાણી ની ચોરી થાય છે તેની જીણવણ ભરી તપાસ કરે તો હજુ કેટલાય કનેક્શન ઝડપાયે તેવી શક્યતાઓ છે ત્યારે તંત્ર આ મુદ્દે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું ……