વાવ તાલુકા ગ્રામજનોને દૂષિત પાણી થી પાણીજન્ય રોગો થવાની ભીતિ

સરહદી બનાસકાંઠા ના વિસ્તારો માં ક્યાંક પાણી નથી મળતું તો ક્યાંક પાણી  મળે છે પણ દુષિત હોવાની રાવ ઉઠવા પામી છે વાવ ના દેવ પુરા માંથી પીવા લાયક પાણી પાણી પુરવઠા પાઈપ દ્વારા આપવામાં આવે છે જે પાણી એક ગવર્મેન્ટ કીટ ના ટેસ્ટ પ્રમાણે પાણી માં લીલાસ આવતી હોવાથી આવતું હોવાથી વાવ ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકા ના ગામડા ઓ માં પીવા લાયક પાણી દુષિત હોવાનું જાણવા મળ્યું છે .જેના લીધે વાવ તાલુકા વિસ્તારો માં પાણી જન્ય રોગો ફાટી નીકળશે તો જવાબ કોણ ? જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે ઉલ્લેખનીય છે આ પાણી નર્મદા ની નહેર મારફતે દેવપુરા એક પ્યુરેટ પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી પાણી પુરવઠા ની પાઈપ લાઈન મારફતે ગામડે પહોચાડવામાં આવે છે .શું દેવપુરા પ્યુરેટ પ્લાન્ટ પાણી શુદ્ધ કરવામાં નિષ્ક્રિય હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ એ લાગી રહ્યું છે અને પ્લાન્ટ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે  વધુ માં પાણી ના આ ગંભીર પ્રશ્ને લઈને  તંત્ર કહ્યારે જાગશે અને જાગશે તો કેટલું વહેલી તકે જાગે છે જે હવે હોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *