બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટનો વારંવાર ખેડૂતો અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોર એ ભારત માલા રોડ માં રોયલ્ટી ચોરી થતા ની વિધાન સભા માં રાજ્યપાલ ના આભાર પ્રસ્તાવ રજૂઆત કરી હતી. જેમાં ભારત માલા માં કામ કરતી કંપની એ સરહદી વિસ્તાર ના ગામો જેવા કે મોરીખા ,સવપુરા ,દેથલી ,જાનાવાડા ,ઈશ્વરીયા ,રામપુરા ,તીર્થગામ ,વાસરડા ,રડકા ભટાસણા ,કુંભારખા ,ઉચોસણ ,મોરવાડા ,જોરાવરગઢ ,સોનેથ આમ વાવ સુઈગામ તાલુકા ના અંદાજીત ૭૦ કિલોમીટર માં ધેરાવામાં આ ભારતમાલા પ્રોજેક્ટ પસાર કરવામાં આવ્યો છે

વધુ માં ધારાસભ્ય એ જણાવ્યું હતું કે આ વિરો માં પડેલી ગૌચર જમીન કે પડતર જમીન કે પછી તળાવ ની જમીન ની વહીવટી મંજુરી વિના રોયલ્ટી ચોરી કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે જેમાં સરહદી વિસ્તાર ના કોઈ પાર્ટી ના સ્થાનિક અગ્રણી અને સરહદી વિસ્તાર ના અનેક નેતા ઓ એ આ બાબતે કેમ ચુપ બની બેઠા છે જયારે ૩ મીટર થી વધુ ખોદકામ કરવાનું ના હોઈ ૧૫ -૨૦ ફૂટ ખોદકામ કરતા સરહદી વિસ્તાર ની જમીન ખારાશ થઇ છે,ત્યારે વારંવાર સમાચાર પત્રો માં રોયલ્ટી ચોરી થતી હોય તેવા અહેવાલો ને લઈને ચર્ચા ના ચગડોળે ચડ્યું હતું પરંતુ ભૂસ્તર વિભાગ દ્વારા એક્શન ના કરાતા જીલ્લા ના ભૂસ્તર શાસ્ત્રી ની કામગીરી શક ના દાયરા માં હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભૂસ્તર વિભાગ આ બાબતે તપાસ હાથ ધરે તેવી લોક માંગ છે