બનાસકાંઠા જીલ્લા ના પોલીસ અધિક્ષક અક્ષય રાજ , તથા પુજા યાદવ , મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા ડી.વી.ડોડીયા , પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશનનાઓએ વાવ પોલીસ સ્ટેશન બળાત્કાર તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૮ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૭,૬૭ – એ . મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપી કિરણભાઈ ભુરાભાઈ પટેલ સપ્રેડા વાળાઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે , એલ.એસ.દેસાઇ , પોલીસ સબ.ઇન્સપેકટર વાવ પો.સ્ટે.નાઓને બાતમી હકિકત મળતા જે સ્ટાફના માણસો સાથે આરોપી કિરણભાઈ ભુરાભાઈ પટેલ રહે- સપ્રેડા મળી આવતા તેને હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.ઉલ્લેખનીય છે કે બે આરોપી અગાઉ પકડાઈ ગયેલ હોઈ ત્રણ નરાધમો ને પકડી પાડી કાયદેશર ની કાર્યવાહી હાથધરવામાં આવી છે