ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતની અનોખી સેવા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે લોકોએ અને પશુઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ડીસા તાલુકામાં પાણીની અછતના કારણે હાલમાં સૌથી વધુ અસર ઘાસચારા વગર પશુઓની જોવા મળી રહી છે.બહારથી આવતું ઘાસ પણ મોંઘું બનતા પશુપાલકોની હાલત કફોડી બની છે.ત્યારે ઘાસચારા અછત વચ્ચે ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતે અનોખી સેવા નિભાવી છે ચાલુ વર્ષે નહિવત વરસાદ ના કારણે સમગ્ર ડીસા તાલુકામાં હાલ પાણી અને ઘાસચારાની અછત ઊભી થઈ છે જેના કારણે ખેડૂતોએ પશુધન નિભાવવો પણ મુશ્કેલ બની છે ત્યારે આવા સમયે ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતા ખેડૂત ઢેગાભાઈ ચેલાણાએ પોતાના 3 વિઘા ખેતરમાં ઉભેલા લીલા ઘાસચારા ને ઘાસચારા વગર ટળવળતી ગાયોને ચરાવી અનોખી સેવા કરી હતી એક તરફ ખેડૂતોને પાકો માં ભાવ મળી રહ્યા નથી જેના કારણે ખેડૂત ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ બાઈવાડા ગામના ખેડૂતની ગાયો પ્રત્યેની સેવા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *