
- યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :બનાસકાંઠા
બનાસકાંઠા ના સરહદી સુઈગામ ખાતે મોડી રાત્રે રાજેશ્વર મંદિર માં ધુસી અસામાજિક તત્વો શિવલિંગ તોડી નાખવા ની ધટના સામે આવી છે જો કે જાણવા મળતી માહિતી અનુસાર વહેલી સવારે પુજારી પૂજા કરવા આવતા સમયે શિવલિંગ તૂટી ગયેલ હોઈ પુજારી એ ગામ લોકો ને બોલાવતા ની સાર્થે ઉહાપોહ સર્જાયો હતો .ત્યારબાદ સુઈગામ રોડ લોકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જે બાદ ધટના ની જાણ થતા ની સાથે SP અને DSP સહીત ના અધિકારીઓ ધટના સ્થળે પહોચ્યા હતા ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે