દાંતા તાલુકાની ઘટનાને લઈને યુ ટર્ન, મણીલાલ ડાભીએ સાચી માહિતી અને હકીકત રજુ કરી ! ગુજરાતનો અતિ પછાત તાલુકો દાંતા હાલમા વનવાસી અને પહાડી વિસ્તાર ધરાવે છે. આ તાલુકા માં મોટે ભાગે આદિવાસી સમાજની બહુમતી મોટા પ્રમાણમાં છે આ લોકો હાલમાં પણ 18 મી સદીમાં રહેતા હોય તેવું આપણને તેમની રહેણી કરણી પરથી જોઈ શકાય છે .આદિવાસી સમાજની બહુમતી દાંતા તાલુકા માં જોવા મળે છે. આદિવાસી સમાજને અન્ન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા તેમને વિશેષ હકો આપવામાં આવેલા છે તાજેતરમાં ભેમાળ ગામમાં આવીજ ઘટનાની ચર્ચાઓ જોરશોર થી થવા લાગી મામલો દાંતા પોલીસ મથકે પહોંચ્યો પણ એટ્રોસિટી ના કેસ માટે સામે વાળા વ્યક્તિ પર કેસ માટે મોટુ પ્રેસર લગાવવામાં આવ્યું , દાંતા પોલીસ દ્વારા આ બાબતે એક એક પાસાઓ ચેક કરતા આ મામલો એટ્રોસીટી નો લાગ્યો ન હતો અને આ મામલામાં અન્ય લોકો અને બહારના લોકો વચ્ચે પડી દાંતા પોલીસને બદનામ કરવાનો ભારે પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સત્ય સત્ય હોય છે અને તેને પુરાવાની જરૂર હોતી નથી તેમ આજ આખો મામલો આદિવાસી સમાજના આગેવાને સઘળી હકીકત આપતા દાંતા પોલીસનો વિજય થયો હતો. કાયદાકીય રીતે એટ્રોસિટી નો કેશ દાખલ કરવા માટે ઘટના સ્થળ પરના આંખે જોનારા સાક્ષીઓ જોઈએ, પણ નવો મુદ્દ્દો ઉભો કરી દાંતા પોલીસ ને કઠેડા મા મુકવી કેટલી યોગ્ય છે