થરાદ પાસે નર્મદા કેનાલમાં નંદી પડી, ફાયર બ્રિગેડે લોડરની મદદથી બચાવ કામગીરી કરી

થરાદ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે આજે એક નંદી પડી જતાં જીવ બચાવની દોડધામ સર્જાઈ હતી. ઘટના જણાતા રાહદારીઓએ તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, કોલ મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને માર્ગ પર પસાર થનારા રાહદારીઓની મદદથી નંદીને બહાર કાઢવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી બચાવ કામગીરી દરમ્યાન નંદી સતત કેનાલના ડિવાઈડરમાં ફસાઈ રહી હતી અને પોતે બહાર નીકળી શકતી નહોતી. અંતે લોડરની મદદથી નંદીને સુરક્ષિત રીતે બહાર ખેંચવામાં આવી.

આરોગ્યની તકલીફ ન હોય તેવું નિશ્ચિત કર્યા બાદ નંદીને નજીકના ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડના કાર્યને પ્રશંસા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *