બનાસકાંઠા ના પાલનપુર સર્કીટ હાઉસ થી પાંચ દિવસ અગાઉ જીગ્નેશભાઈ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી અટકાયત કરી આસામ લઇ જવાયો હતો જે ધટના ને લઈને સરહદી પંથક વાવ સુઈગામ થરાદ અને ભાભાર માં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે .આ સમગ્ર ધટના ને લઈને દલિત સમાજ સહીત અન્ય સમાજો માં રોષ જોવા મળ્યો હતો.જેમાં દલિત સંગઠનો તેમજ વાવ થરાદ ના કોંગ્રેસ ધારાસભ્ય સહીત સ્થાનિક નેતા ઓ સાથે મહા રેલી યોજી વિરુધ પ્રદર્શન કર્યું હતું પાંચ હજાર થી પણ વધુ જન સમર્થકો સાથે થરાદ પ્રાંત કચેરી ખાતે બહોળી સંખ્યા માં સાથે હાજર રહી વર્તમાન સરકાર સામે સુત્રો ચાર કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં વાવ થરાદ ના ધારાસભ્ય અને દલિત સંગઠનો દવારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો જીગ્નેશમેવાણી ને છોડવામાં નહિ આવેતો ગુજરાત માં તાલુકા અને જીલ્લા કક્ષા એ ઉગ્ર આંદોલન થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર ની રેહશે તેમ જણાવ્યું હતું
