સરકારી કચેરી માં આવતા વચેટિયા ઓ ની ખેર નથી , બનાસકાંઠા જીલ્લા કલેકટરે પ્રવેશ પર પ્રતિબંધ મુકવા હુકમ

બનાસકાંઠા માં કચેરી માં આવતા વચેટિયા ઓ ની ખેર નથી આનંદ પટેલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સતાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે રોજે રોજ જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે અરજદારો સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી, સરકારી કામ અર્થે આવતાં અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃતિ કરી રહેલ હોય તેવા ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કર્યો છે. આ  હુકમ તા.૦૧/૦૮/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. અમલવારીનો વિસ્તાર બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર છે. 

           આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તથા આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે જે તે કચેરીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી તથા પોલીસ વિભાગના પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીના દરજ્જાથી ઉતરતા ન હોય તેવા અધિકારીશ્રી ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *