ધ્રેચાણા ગામના આર્મીજવાન નિવૃત થઈ વતન પરત આવતાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

સુઈગામ તાલુકા ના ધ્રેચાણા ગામના આર્મીજવાન નિવૃત થઈ વતન પરત આવતાં ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું.તા.29 ડીસેમ્બર 2004માં ઇન્ડિયન આર્મીની નાસિક 23 બટાલિયન FDRJમાં ભરતી થઈ 17 વર્ષ દેશસેવાની જવાબદારી પૂર્ણ ફરજ પુરી કરી માદરે વતન ફરતા 31 ડીસેમ્બર 2021ના રોજ દેહારાદુન ખાતેથી નિવૃત થનાર આર્મીજવાન નાનજીભાઈ પ્રેમાભાઈ ચૌધરી સોમવારે વહેલી સવારે પોતાના માદરે વતન પરત આવતાં ગ્રામજનોએ ગામના પનોતા પુત્ર આર્મી જવાનનું ગામના પાટિયા થી ખુલ્લી જીપમાં બેસાડી બેન્ડવાજા સાથે દેશભક્તિના ગીતો સાથે વાજતેગાજતે ભવ્ય નગર પ્રવેશ કરાવતાં આખા ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો,નિવૃત આર્મીજવાનને સત્કારવા ગામના તમામ સમાજના આબાલવૃદ્ધ સૌ જોડાયા હતા,ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું,આ પ્રસંગે સુઇગામ તાલુકા ભાજપ મહામંત્રી જામાભાઇ ચૌધરી,ભરતસિંહ જાડેજા,ઉકાભાઇ ચૌધરી,નિતેંશભાઈ ઠાકોર,શિવરામભાઇ પટેલ,કરણાજી ઠાકોર,રવજીભાઈ પટેલ,મોતીભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *