બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે એવામાં ડીસા તાલુકાના થેરવાડા ગામ માં એક જાગૃત ખેડૂતે સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે અને આ ભગીરથ કાર્ય એટલે જાતે જ ખેત તલાવડી બનાવવાનું કાર્ય શરુ કર્યું છે .બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 100 થી પણ વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે ખેત તલાવડી બનાવી છે આ ખેત તલાવડીમાં ચોમાસા માં વહી જતાં પાણીનો સંગ્રહ થશે અને તે જ પાણીથી આખુ વર્ષ ખેતરમાં ખેતી માં થશે. રમેશભાઇ ચૌધરી હાલ તો પોતાના ખેતરમાં પ્રવીણભાઈ માળી ના માર્ગદર્શન હેઠળ 20 ફૂટ ઉડી ખેત તલાવડી બનાવી છે જેમાં શિયાળુ અને ચોમાસુ ખેતી કરી શકાય તેટલું પાણી એકત્રિત કરી શકાશે જ્યારે રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું છે કે જે પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે તેની સામે ખેડૂતોએ ખેતી કરવા માટે વધુમાં વધુ ખેત તલાવડી બનાવવામાં આવે તેવી અપીલ કરી હતી
ડીસા તાલુકાના થેરવાડા ગામમાં રહેતા રમેશભાઈ ચૌધરી પોતે ખેડૂત છે અને તેમની થેરવાડા ગામમાં જમીન આવેલી છે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ ઉંડા જતા તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, તેવામાં રમેશભાઈ ચૌધરી ને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર બનવા ની વાત યાદ આવે છે અને બસ તેઓએ સરકાર સામે મદદ માગવાને બદલે કે પછી કુદરત સામે લાચાર બની આજીજી કરવાને બદલે જાતે જ આનો હલ કરવાનું વિચાર્યું, અને તેઓએ પોતાની જમીનમાં બોર બનાવવાના બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું ત્યારબાદ શસૃ કર્યું આ ભગીરથ કામ… તેમણે પોતાની જમીન ની અંદર સો બાય સો અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી રહ્યા છે જેનું કામ અંદાજિત 20 થી 25 દિવસ સુધી ચાલશે આ ખેત તલાવડી બન્યા બાદ તેમાં 80 થી લાખ લિટર જેટલો ચોમાસામાં વેડફાઈ જતા પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી તેઓ 15 વિઘા જમીનમાં પાક ને 40 વખત પાણી આપી શકશે એટલે કે આખું વર્ષ આરામથી ખેતી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે અત્યારે સામાન્ય નુકસાન થતાં કે ખેત પેદાશ નો ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે પરંતુ બનાસકાંઠા ના કેટલાક પ્રગતિશીલ, મહેનતું ખેડૂતો આત્મનિર્ભર બનાવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે જ પોતાની સુજબુજ થી અનોખો માર્ગ કંડારે છે ત્યારે આ ભગીરથ અને અનોખું કાર્ય અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે ..