ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનના વેપારીઓ દ્વારા સહાયક રાજ્યવેરા કમિશનર કચેરી સહિત નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાધ પદાર્થો ની ચીજવસ્તુઓ પર જીએસટી લગાવી દેવાની જાણકારી મલતા ઓલ ઇન્ડિયા વેપારી એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવ્યો છે ત્યારે આજે ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશનના વેપારીઓ દ્વારા પણ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે અને સહાયક રાજ્યવેરા કમિશનર કચેરી સહિત નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી કરીયાણા મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઈ મોદી અને ભરતભાઈ માળી દેવડા ટ્રેડર્સ દ્વારા જણાવાયું હતું સરકાર દ્વારા જે ખાધ પદાર્થો ની ચીજવસ્તુઓ પર જીએસટી લગાવી રહી છે જેમાં ગોળ પ્લેન પેકિંગ માં આવે છે અને ગોળ પશુઓના ચારા માટે પણ વપરાય છે તે સિવાય અનાજ દાળ ચોખા લોટ જેવી ચીજ વસ્તુઓ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રોજીંદી જરૂરિયાતની વસ્તુઓ છે રોજીંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જીએસટી લગાવાશે તો મોંધવારીથી પીડાતાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર બોજ પડશે અને વેપારી ભાઈઓને પણ મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે