રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે અને તાપી, નવસારી, દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ચોટીલા સહિત આસપાસના ગામોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન પણ ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે વરસાદના કારણે વાવેતર કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સહિત આસપાસના ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડયા હતા.અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જ્યારે રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતા ચોટીલા વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી હતી અને લોકો વરસાદની મજા માણતા નજરે પડયા હતા. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી હતી. લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક રાહત મળતાં લોકોને હાશકારો થયો છે, પરંતુ ભેજવાળાં વાતાવરણને કારણે લોકો પરસેવે નહાઈ રહ્યા છે. ૨૫મી થી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હતી