કચ્છના મહેમાન બનેલા પીએમ મોદીએ કહ્યું કે વડાપ્રધાનએ કચ્છની ધરતી પર થી સંકલ્પ સિદ્ધ કરતાં કહ્યું કે ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. વડાપ્રધાનએ કચ્છના નવનિર્માણ માટે કચ્છના લોકોનો સંઘર્ષ, સરકારની પ્રતિબદ્ધતા, ગુજરાતના વિકાસની ગાથા અને દુનિયામાં ભારતની થઇ રહેલી પ્રગતિ અંગે કચ્છની ધરતી પર થી સંકલ્પ સિદ્ધ કરતાં કહ્યું કે ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.અગાઉના વર્ષોમાં કચ્છમાં પાણીની અછત અને તેના પરિણામે પડતી મુશ્કેલીઓની વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ પાણીની તકલીફના કારણે કચ્છના પશુપાલકોએ પોતાના પશુઓ સાથે વારંવાર પલાયન કરવું પડતું હતું અથવા તો ક્યારેક પશુઓનો ત્યાગ કરવો પડતો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું દિલ્લી હતો અને થોડા કલાકોમાં કચ્છ પહોંચી ગયો હતો. તે સંદર્ભમાં તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા પછી અહીં કરેલા સેવાકાર્યો મને ખૂબ કામ લાગ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં થતાં સેવાકાર્યો જોવા વિદેશથી લોકો આવતા હતા. તેઓ કહેતા કે આવો સેવાભાવ ક્યાંય જોવા નથી મળ્યો. આ સામૂહિકતાની શક્તિ છે.