બનાસકાંઠા જીલ્લા ના સરહદી વિસ્તાર માં કેનાલ માં ગાબડા પાડવાનો શીલશીલો ધણા સમય થી યથાવત રહ્યો છે ત્યારે આજે ફરીથી સુઈગામ ની સીમ આવેલ સુઈગામ માઇનોર -૦૨ કેનાલ માં ૧૦ ફૂટ નું ગાબડું પડવાના કારણે આજુ બાજુ ના ખેતર માં પાણી ભરાઈ જતા ખેતર માં જીરું એરંડા જેવા પાકો ને વ્યાપક નુકશાન થવા પામ્યું હતું .સરકાર ની ઢીલી નીતિ ના કારણે અને ભ્રસ્ટાચારી કોન્ટ્રાક્ટર ને કારણે કેનાલ ની સાફ સફાઈ તેમજ રીપેરીંગ ની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે કેનાલો માં ગાબડા પડી રહ્યા છે

હાલ માં સુઈગામ તાલુકા ની સીમ માં પસાર થતી કેનાલ માં સતત ૩ વખત ગાબડું પડતા લાખો લીટર પાણી બગાડ થયો હતો તો એકબાજુ છેડે સુધી પાણી નથી પહોચતું તો બીજીબાજુ વારવાર ગામડા પડવા થી લાખો લીટર નો બગાડ થાય છે સત્વરે ખેડૂત ના ખેતર વાવેલ પાક નું વળતર મળે તેવી ખેડૂત માંગ કરી રહ્યો છે