વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધરણીધર ભગવાનનાં દર્શન કરી પરત ફરતાં ગંભીરપુરા પાટિયા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં બે બાળકો સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં વાવ મામલતદારે સરકારી વાહન મારફત ચાર લોકોને વાવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ,ભાભર તાલુકાનાં કારેલા ગામનો એક પરિવાર ઢીમા દર્શન કરી પરત ફરતા વાવ તાલુકાનાં ઢીમાથી ચાર કિમીએ આવેલ ગંભીરપુરા પાટિયા નજીક બાઈક સ્લીપ ખાઈ જતાં ચાર લોકો ઇજાગ્રસ્ત થઈ જતાં,જેમાં નાના બે બાળકો સહિત પોતાની પત્નીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. ત્યારે ઢેરીયાણા ખાતે સેવાસેતુ કાર્યક્રમ પૂર્ણ કરી જઈ રહ્યાં હતાં. ત્યારે સરકારી ગાડીમાં એકને ગંભીર ઈજા,૨ બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પરિવારને વાવની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે વધુ સારવાર માટે થરાદની જે.જે.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આમ વાવ મામલતદાર કે.એચ.વાઘેલાએ માનવતાનાં દર્શન કરાવ્યાં હતાં અને ઇજાગ્રસ્ત પરિવારને ઝડપી સારવાર કરાવી હતી.