બનાસકાંઠાના લોદ્રાણી ગામે માલધારી ના 16 ઘેટાઓ ના મોત  થી પશુપાલકોમાં ફફડાટ!

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ના વાવ તાલુકા ના લોદ્રાણી ગામમાં પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ખોરાકી ઝેરની અસરથી માલધારી ના 16 ઘેટાઓ મોત થતા પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં લોદ્રાણી ગામે રહેતા બાવાભાઈ ગણેશભાઈ રબારી ,અરજણભાઈ વિરાભાઈ રબારી ,નીલાભાઈ ગણેશભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા આમ ૧૬ ધેટા ના મોત થી પરિવાર જનો બેધર થયા છે.ધટના ની જાણ ગામ ના સરપંચ સહીત તલાટી ને થતા ધટના સ્થળે પહોચી પંચનામું કરી ડોકટરી તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક દ્રષ્ટી એ ખોરાકી ઝેર ની અસર થી મોત થયા હોવાનું સામે આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ માલધારી પરિવાર નો સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારે રોઝી રોટી છીનવાઈ ગઈ છે સરકાર આશરો આપી ને સરકાર આર્થિક મદદ કરે તેવી પરિવાર ની માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *