ગુજરાત માં પ્રથમ વખત RTE માં પ્રવેશ મેળવનાર બાળકો નું ઉમળકાભેર સ્વાગત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું…

  • યે હૈ ન્યૂઝ ઈન્ડિયા:પાલનપુર

સરહદી બનાસકાંઠા જીલ્લા માં ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને શહેરની નામાંકિત શાળામાં મફત શિક્ષાણ મળે તે માટે આર.ટી.ઈ એકટ અમલમાં આવેલો છે. પરંતુ ઘણી બધી શાળાઓ આર.ટી.ઈ દ્રારા પ્રવેશ મેળવેલ બાળકો પર અમુક શાળાઓ દ્રારા ભેદભાવની નિતિ રાખવામાં આવતી હોય છે. એવા સમયે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાની સેવાભાવી અને નામાંકિત પ્રાથમિક શાળા એવી શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ – પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળા, પાલનપુર દ્રારા આજ રોજ આર.ટી.ઈ દ્રારા સરકારશ્રી દ્રારા પ્રવેશ આપવામાં આવ્યો છે. આર.ટી.ઈ દ્રારા પ્રવેશ મેળવેલ બાળકોનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી સંજયભાઈ પરમાર, નાયબ જિલ્લા શિક્ષાણાધિકારી મુકેશભાઈ ચાવડા, મનુભાઈ પટેલ, શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ તેમજ સ્વસ્તિક પરીવારના તમામ સ્ટાફ અને વાલી અને ભુલકાઓ હાજર રહયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *