વાવ ના ઢીમા યાત્રાધામ ના ઇતિહાસ સાથે લખાયેલા ભસ્મા નગરી પુસ્તક નું વિમોચન કરાયું

ઢીમાના રીટાયર્ડ શિક્ષક દ્વારા લખાયેલા ભસ્મા નગરી પુસ્તકનું અમદાવાદ ખાતે વિમોચન કરાયું

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની દ્વારકા થી ઓળખાતા યાત્રાધામ ઢીમાના શિક્ષક દવે વાલજીભાઈ દેવરામભાઈ દ્વારા યાત્રાધામના ઇતિહાસ સાથે લખાયેલા પુસ્તક મહાનવલકથા ભસ્મા નગરી નું વિમોચન તારીખ 28/05/022ના રોજ શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળ, ઉન્નતી સ્કૂલની બાજુમાં, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી વડોદરાનાં સંચાલક પારુલબેન પટેલ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સાહિત્ય પરિષદમાંથી  લેખક-કવિ ડૉ.ઈશ્વરસિંહ ચૌહાણ(ઢીમા), નરેન્દ્રભાઈ શુક્લ,  દિલીપભાઈ રાવલ,જાનકીદાસજી મહારાજ( રામાસરા અન્નક્ષેત્ર, ઢીમા) ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *