પીએમ મોદી 27-28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વિધાનસભાની 2022ની ચૂંટણીને અંતર્ગત દેશના દિગ્ગજ નેતાઓની રાજ્યની મુલાકાતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવશે 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે.
- પીએમ મોદી ફરી એક વખત આવશે ગુજરાત પીએમ મોદી નો 27 અને 28 ઓગસ્ટનો સંભવિત ગુજરાત પ્રવાસ પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે
- 27 મી એ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભા ને સંબોધન કરશે
- 28 મી એ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે
- ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે
- સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવશે.
વિધાનસભાની ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે BJP અને AAPના નેતાઓ પુરજોશથી પ્રચારમાં લાગી ગયા છે. જેથી બન્ને પાર્ટીઓના નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે તેમના ઉપર હુમલો થઈ શકે છે. જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી, ભાવનગર એસપીને આવેદનપત્ર આપવામાં આવશે.