યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ -સુઇગામ
અંદાજે ૧વર્ષ પહેલાં સરહદી પંથક ના સુઇગામ CHC ના ડોક્ટર ઉપર કથીક છેડતી ના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ડોકટર અશોક ભાઈ ગંગારામ ભાઈ ચૌધરી દ્વારા જ્યુડિશિયલ કોર્ટ ની અંદર કેશ દાખલ કરવામાં આવ્યો હતો.અંદાજે ૧વર્ષ પહેલાં બનેલી છેડતી ની ઘટના ને લઈ સુઇગામ જ્યુડિશિયલ કોર્ટ એ છેડતી ની કથિત વાતો નકારતા તા:૦૬/૦૩/૨૦૨૧ રોજ ઐતિહાસિક ચુકાદો આપી ડોકટર ને ન્યાય મળ્યો છે.ન્યાય મળતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે .ખોટી ફરીયાદ કરવા અથવા ભોગ બનનારને માનસીક,શારીરીક, સામાજીક હેરાનગતી બદલ રૂ.૧૦,૦૦૦/-(અંકે રૂપીયા દસ હજાર પુરા) વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવે છે જો આ રકમ ન ચુકવે તો ૩૦ દિવસની સાદી કેદ કરવાનો હુકમ કરવામાં આવે છે.સાથે સાથે હુકમ કરતાપી.એસ.આઈ. સુઈગામને આદેશ કરવામાં આવે છે કે, આ કામના ફરીયાદી નર્સ પુનમબેન મોહનભાઈ રેવાભાઈ પ્રજાપતિ વિરૂધ્ધ ખોટી ફરીયાદ કરવા બદલ આઈ.પી.સી.ની કલમ ૨૧૧ મુજબની ફરીયાદ નોંધવા હુકમ કરવામાં આવ્યો છે.