- ચોટીલ ગામે ચોરી નો બનાવ સામે
- ચોરી ના બનાવ ના પગલે ચોટીલ ગામ ના લોકો માં ફફ્રરાટ
- અંદાજે ૫૨૯૩૮ મુદ્દા માલ ની ચોરી
- પોલીસે અજાણ્યા સક્સો વિરુધ ગુનો નોધી તપાસ હાથ ધરી
યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી પંથક ના વાવ તાલુકા ના ચોટીલ ગામે કોરોના ના હાહાકાર વચ્ચે ચોરી ની ધટના સામે આવી છે જેમાં ચોટીલ ગામ ના ડાયાભાઈ ગણેશભાઈ પરમાર ના ધર માં ચોરી નો બનાવ ને લઇ ગામ લોકો ફફ્રરાટ જોવા મળ્યો છે જેમાં ધટના ની જાણ અમારા પ્રતિનિધિ થતા ડાયાભાઇ ગણેશભાઈ પરમાર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે હું અને મારો પરિવાર મકાન ના ઓશરી ના ભાગ માં સુતા હતા ત્યારબાદ તા:૨૯/૦૪/૨૦૨૧ હું સવારે મારા રોજ ના ૭ વાગે ઉઠ્યો હતો ત્યારબાદ બ્રશ કરવા હું ગયો ત્યારબાદ મેં જોયું કે ધર નો દરવાજો ખુલ્લો હતો .ધર નો દરવાજો ખુલ્લો જોતા ની સાથે ધર માં ચેક કરતા કુલ રૂ .૩૦૦ રોકડા ૧૪ ગ્રામ ફૂલ અને એક કાન પહેરવાની બુટ્ટી અને એક ફોન ચોરાયેલ હતો જેમાં અંદાજે રકમ ૫૨૯૩૮ મુદ્દા માલ ની ચોરી થતા ધટના ની જાણ માવસરી પોલીસ ને કરતા ધટના સ્થળે પહોચી આવી હતી અને ત્યારબાદ પોલીસે અજાણ્યા સક્સો વિરુધ ગુનો નોધી તપાસ હાથ ધરી ..