સુઇગામ સ્વચ્છતા બાબતે રેલી કાઢવામાં આવી

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ (રમેશ રાજપૂત )

સરહદે આવેલ સુઈગામ તાલુકા મથકે આજે સુઇગામ TDO કાજલબેન આંબલિયાની આગેવાની હેઠળ ,સુઇગામ T.P.E.O પી.આર.માળી,જીલ્લા ડેલીગેટ રામજીભાઈ રાજપૂત અને ગામના અગ્રણીઓની સાથે શાળાના બાળકો અને ગ્રામજનોને સાથે રાખી ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે સોશિયલ ડીસટન્ટ રાખી રેલી નીકાળવામાં આવી હતી,જ્યાં રિક્ષામાં લગાવેલ લાઉડસ્પીકર દ્વારા જણાવવામાં આવ્યું કે ગામમાં કચરો ન ફેકવો,ગંદકી ના કરવી,વધેલો ખોરાક રસ્તા પર ના ફેકવો ,ગંદુ પાણી રસ્તા પર ના ઢોળવું,ગામની શેરીઓની સ્વચ્છતા જાળવવી, વિગેરે બાબતોના ગ્રામજનો ને સંકલ્પ લેવડાવ્યા હતા.સાથે ગામની શેરીઓમાં સ્વચ્છતા બાબતે બેનરો સાથે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *