- સોનેથ ગામના સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી દ્રારા વિચરતી જાતિના લોકોને મફત પ્લોટના કબજો અપાયો
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ તાલુકાના સોનેથ ગામે રહેતા વિચરતી વિમુકત જાતી ના ઘર વિહોણા બે દેવીપૂજક તેમજ એક રાવળ પરિવાર ને રહેણાંક માટે મફત પ્લોટ મળી રહે તે સારુ વિચરતા સમુદાય સમર્થન મંચ ના આદરણીય સચિવશ્રી મિત્તલ બેન પટેલ ના માધ્યમ થકી મફત પ્લોટ માટે અરજીઓ સુઇગામ તાલુકા લેવલે આપવામાં આવેલ હતી,
આમ વી.એસ.એસ.એમ સંસ્થાના માધ્યમથી આપેલ અરજીના અનુસંધાને સુઈગામ વહીવટીતંત્ર દ્વારા 13/11/2020 ના રોજ વિચરતી જાતિના પરિવારો ને તાલુકા કક્ષા એ બોલાવી રૂબરૂ મફત પ્લોટ ની સનદો આપવામા આવી હતી,પરંતું સનદો આપ્યા બાદ આ વિચરતી જાતી ના પરિવારો ને કબજા હક આપવામા આવેલ નહોતા,જેથી આવા વિચરતી જાતી ના પરિવાર ને પોતાનુ ઘર નું ઘર બને તેં સારુ જલદી કબજા હક મળે તે માટે વી.એસ.એસ.એમ સંસ્થા ના સચિવ શ્રી મિતલબેન પટેલ અને બનાસકાંઠા જીલ્લા ના સંયોજક શ્રી નારણભાઈ રાવળ ની અને સુઇગામ ઇન્ચાર્જ ભગવાન ભાઈ ની વિનમ્ર રજુઆત ને ધ્યાને લયી સુઇગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી કુ.કાજલબેન આબલીયા એ આપેલ સુચના ને તાત્કાલિક ધ્યાને લયી સોનેથ ગામના સરપંચ શ્રી તેમજ શક્રીય તલાટી કમ મંત્રી એ આજરોજ વિચરતી જાતી ના દેવીપૂજક તેમજ રાવળ પરિવાર ને મફત પ્લોટ ના કબજા હક અપાવ્યા હતા, આમ મફત પ્લોટ ના કબજા હક મળતા દેવીપૂજક તેમજ રાવળ પરિવાર માં ખુશી જોવા મળી હતી,અને આ વિચરતી જાતીના પરિવારે ગામના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, તેમજ ગામના જાગૃત નાગરિક અને પત્રકાર શ્રી અમૃતજી ઠાકોર અને વી.એસ.એસ.એમ સંસ્થા નો તેમજ સુઇગામ તાલુકા વહીવટી તંત્ર નો દિલથી આભાર માન્યો હતો
આજના આ કબજા હક આપવાના પ્રસંગે ગામના સરપંચ શ્રી જાડેજા રણજીતસિંહ,તલાટી કમ મંત્રીશ્રી વિજયભાઈ ગરો,જાગૃત નાગરિક અમૃતજી ઠાકોર (પત્રકાર) તેમજ વિચરતી જાતી ના લાભાર્થીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા…..