તાજેતરમાં ખેલ મહાકુંભના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ શાળાઓના જન્મદિવસની ઉજવણી થાય એવુ સુવિચારુ આયોજન કરવાનું આહવાન કરવામાં આવ્યુ છે.આ સંદર્ભે બનાસકાંઠાની લોકપ્રિય સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રાથમિક શાળાના બાળકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને વધાવતા આ શાળાના જન્મદિવસ ઉજવણીનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આગામી તા.૧૫ માર્ચ-૨૦૨૨ના રોજ યોજાનાર શાળાના જન્મદિવસની ઉજવણીને અનુલક્ષી સાળવી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સુંદર રીતે શણગારવામાં આવી રહી છે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઇ પરમાર તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વાગડોદા વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારશે.સમગ્ર ગુજરાતમાં શાળાના જન્મદિવસ ઉજવણી કાર્યક્રમની સૌપ્રથમ શરુઆત કરનાર પાલનપુરની સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળા ગુજરાતની પ્રથમ શાળા બનશે. તેમ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રવર્તમાન પ્રમુખશ્રી રમેશભાઇ પટેલ દ્વારા જણાવાયું છે.