વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી ની આગેવાની હેઠળ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યકમ યોજાયો….

વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી દ્વારા આજે વાવ તાલુકા APMC ખાતે સ્નેહ મિલન કાર્યકમ  કરવામાં આવ્યો હતો  આ પ્રસંગે બનાસડેરી ના ચરમેન અને વાવ ના પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી  દ્વારા જણાવાયું હતું કે  વિક્રમ સવંત 2077 નું શરૂ થતું નવું વર્ષ  આપ સૌના માટે ખૂબ જ લાભદાયી, ફળદાયી, યશસ્વી અને નિરોગી નીવડે તેવી.અભ્યર્થના.આપ સૌ આપની કુશળતા દ્વારા લાભદાયી સિદ્ધિ હાંસલ કરો તેવી ઈશ્વરને પ્રાર્થના દરેક સમસ્યાઓ અને પડકારોનો આપ હસતા હસતા સામનો કરી સફળતા ના શિખરો સર કરો તેવી  શુભકામનાઓ સાથે.નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. વાવ APMC ખાતે સ્નેહ મિલન સમારોહમાં વાવ તાલુકા /શહેરના આગેવાનો મહાનુભાવો ભાજપના  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી એ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી સોશિઅલ ડિસ્ટન્સ અને  માસ્ક સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ,જિલ્લા  ભાજપના મહામંત્રી ઉમેદદાનજી ગઢવી ,અન્ન અને નાગરિક પુરવઠા ના ડાયરેક્ટર શ્રી વાવ રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ ,વાવ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ,ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ એવા નાગજીભાઈ પટેલ ,સત્તર મુદ્દા અધ્યક્ષ માવજીભાઈ પટેલ ,વાવ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ રાજપૂત ,ભારતીય જનતા યુવા મોરચા ના જિલ્લા મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત ,વાવ તાલુકા બનાસડેરી ના ડીરેક્ટર રાયમલભાઈ ચોધરી તેમજ મોટીસંખ્યામાં કાર્યકરો તથા વાવ તાલુકા પંચાયત ના  સદશ્યો  હાજર રહ્યા હતા .આવેલ તમામ લોકોને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચોધરી એ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રાજકીય છેતરે ઉતરો તર પ્રગતિ ના શોપન સર કરો તેવા શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *