રાજસ્થાન અને ગુજરાતના સબંધો પર મહાશોધ નિબંધ પર શેષકરણ ભંવરદાન ચારણે PhD પદવી મેળવી

રાજસ્થાનના ઝણકલી – બાડમેરના વતની અને વર્તમાનમાં સરકારી વિનયન કોલેજ, વાવ (બનાસકાંઠા) ખાતે છેલ્લા ૪ (ચાર) વર્ષથી ઈતિહાસ વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં ગુજરાત યુનિવર્સીટી અમદાવાદમાં PhD પદવી માટે નોધણી કરાવી અને ૪ વર્ષના સમયમાં સતત મહેનત અને પરિશ્રમ થકી ૨૪/૦૬/૨૦૨૨ના દિવસે ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ દ્વારા શિક્ષણ જગતની સૌથી મોટી ઉપાધી પ્રાપ્ત થઇ. બે રાજ્યો વચ્ચેના સંબંધોનું વર્ણન ઐતિહાસિક પરિપેક્ષ્યમાં બહુજ સારી રીતે કરેલ જોવા મળે છે. શેષકરણ ચારણજીએ “स्वतन्त्रता के पश्चात गुजरात और राजस्थान के संबंधों का तुलनात्मक अध्ययन (सांस्कृतिक इतिहास के विशेष संदर्भ में)” વિષય પર પ્રો.ડૉ. હરપાલ રાણાના માર્ગદર્શનમાં સંશોધન કાર્ય કર્યું. તેમનું સંશોધન ઇતિહાસના આવનાર નવા સંશોધકોને પ્રેરણારૂપ બનશે.વધુમાં જણાવવાનું કે શેષકરણ ચારણ રાજસ્થાન નહિ પણ વાવ, થરાદ અને સુઈગામના લોકો સાથે એક પરિવારની જેમ હળી-મળીને સામાજિક એવમ શિક્ષણના ક્ષેત્રમાં નિરંતર સ્થાનિક લોકો સાથે મળીને નવી દિશા આપતા જોવા મળે છે અને તેમના આ મળતિયા સવભાવના પરિણામે તેઓ ખુબ જ લોકપ્રિય બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *