દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયતે ગૌચરનું દબાણ દૂર કરાયું

સરહદી બનાસકાંઠા માં જિલ્લા માં અનેક જગ્યાએ ગૌચર જમીન દબાણ કરી હોય તેવી ધટના સામે આવે છે જેમાં જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેની સુચના અને માર્ગદર્શન થી દિયોદર તાલુકાની સણાવ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. સણાવ ગામના નવ જેટલાં વ્યક્તિઓ દ્વારા ગૌચરની જમીનમાં ખેતી લાયક દબાણ કરવામાં આવ્યું હતું.સણાવ ગામમાં ચાવડા મસાજી ભુરાજી, કોળજી અરજણજી ભેમાજી, કોળી લીલાજી સવસીજી, કોળી જોરાજી કટાજી, ઠકોર ચંપાબેન અમથુજી, કોળી ભલાજી વિરમજી, કોળી જોરાજી ધરમશીજી, કોળી બળવંતજી રાયચંદજી અને કોળી પોપટજી વિરમજી દ્વારા સર્વે નં. 292, 342, 113 અને 342ની ગૌચર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતુ. આ વ્યક્તિઓ દ્વારા ખેતી લાયક દબાણ કરી ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવતી હતી. તે દબાણ સણાવ ગ્રામ પંચાયત દ્વારા હટાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *