યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ
સરહદી બનાસકાંઠા ના વાવ પંથક માં વાવ ગામ ની પ્રાથમિક શાળા નંબર -૦૨ માં તા -૨૧/૦૩/૨૧ ના રોજ ઈંગ્લીશ ગ્રામર ઈજી – ઈજી પુસ્તક નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો .જેમ માનવ દેહ ના પોષણ કાજે ખોરાક જરૂરી છે .તેમ માનવ મનમાં પોષણ કાજે વાંચન જરૂરી છે .આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી કહેતા હતા કે પુસ્તક મનુષ્ય ના જીવનની જડીબુટ્ટી અને દીપક ની પ્રજવલિત જયોત છે .જેવી રીતે વ્યાયમ કરવાથી શરીર ને લાભ થાય છે તેવી જ રીતે જ્ઞાન થી સભર પુસ્તક ના વાંચન થી મસ્તિષ્ટ ને લાભ થાય છે .પુસ્તક કોઇપણ ભાષા નું હોય જો તે જ્ઞાન થી સભર હોય તો તેને વાંચવું જરૂરી છે એવું જ પુસ્તક આજ રોજ ઈંગ્લીશ ગ્રામર ઈજી –ઈજી ના વિમોચન પ્રસંગે થરાદ ધારાસભ્ય ,યુવા નેતા ,અને આપણા વિસ્તાર ની તમામ સમસ્યાઓ ની ધારદાર રજૂઆત કરતા માનનીય ગુલાબસિંહ રાજપૂત અને જાનકીદાસ બાપુ ઢીમા ના હસ્તે કરવામાં આવ્યું હતું .જે પ્રસંગે એચ .બી.વેઝિયા ,સરપંચ પુત્ર ઠાકરશિહ ભાઈ ,મુળજીભાઈ ગોહિલ ,સુરેશભાઈ ત્રિવેદી ,રામસેગભાઈ રાજપૂત (કેશર કૃપા),પરથીભાઇ રાજપૂત ,ભરતસિંહ સોઢા .વાવ શાળા નં-૦૨ ના આચાર્ય ગણેશભાઈ સેગળ ,જીતેન્દ્રભાઈ ,સતિષભાઈ ,વિપુલભાઈ તથા વાવ તાલુકા ની શાળા ના શિક્ષક મિત્રો તેમજ નામી અનામી વ્યક્તિ ઓ ,ગ્રામજનો ,તથા શાળા નંબર -૦૨ નો તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યો …
વિડીઓ જોવા માટે ક્લિક કરો